1 કરિંથીઓને 6 : 1 (GUV)
તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતાં શું અધર્મીઓની આગળ ન્યાય માગવા જવાની હિંમત ચલાવે?
1 કરિંથીઓને 6 : 2 (GUV)
સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમે જગતનો ન્યાય કરશો, તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને લાયક નથી?
1 કરિંથીઓને 6 : 3 (GUV)
આપણે દૂતોનો ન્યાય કરીશું, એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો [ન્યાય કરવાને] શું આપણે [લાયક નથી] છીએ?
1 કરિંથીઓને 6 : 4 (GUV)
માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરાવવાનો હોય તો મંડળીમાં જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવવાને બેસાડો છો?
1 કરિંથીઓને 6 : 5 (GUV)
હું તમને શરમાવવાને કહું છું. શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો તમારામાં એકે ની માણસ નથી?
1 કરિંથીઓને 6 : 6 (GUV)
પણ ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓની આગળ!
1 કરિંથીઓને 6 : 7 (GUV)
હાલ આ તમારામાં ખરેખરી ખોડ છે કે, તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ [કરવા] કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકશાન કેમ વેઠતા નથી?
1 કરિંથીઓને 6 : 8 (GUV)
ઊલટું તમે પોતે અન્યાય કરો છો, તથા [બીજાનું] પડાવી લો છો, અને તે વળી [તમારા] ભાઈઓનું!
1 કરિંથીઓને 6 : 9 (GUV)
શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,
1 કરિંથીઓને 6 : 10 (GUV)
ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.
1 કરિંથીઓને 6 : 11 (GUV)
વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.
1 કરિંથીઓને 6 : 12 (GUV)
બધી વસ્તુઓની મને છૂટ છે. પણ બધી લાભકારી નથી. બધી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી.
1 કરિંથીઓને 6 : 13 (GUV)
અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે.
1 કરિંથીઓને 6 : 14 (GUV)
ઈશ્વરે પ્રભુને ઉઠાડયા, તેમ જ પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે.
1 કરિંથીઓને 6 : 15 (GUV)
તમારાં શરીર ખ્રિસ્તના અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારું ત્યારે, શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાઓ.
1 કરિંથીઓને 6 : 16 (GUV)
શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે [તેની સાથે] એક શરીર થાય છે? કેમ કે [ઈશ્વર] કહે છે, “એ બન્‍ને એક દેહ થશે.”
1 કરિંથીઓને 6 : 17 (GUV)
પણ પ્રભુની સાથે જે જોડાય છે તે [તેમની સાથે] એક આત્મા થાય છે.
1 કરિંથીઓને 6 : 18 (GUV)
વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ [બીજાં] પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.
1 કરિંથીઓને 6 : 19 (GUV)
તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી.
1 કરિંથીઓને 6 : 20 (GUV)
કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: